રાજીનામુ : કર્ણાટકના મુખ્યમંત્રીનું રાજીનામાની જાહેરાત : સિદ્ધારમૈયાએ મંત્રીઓની બેઠકમાં લીધો નિર્ણય
કર્ણાટકના મુખ્ય મંત્રી શ્રી સિદ્ધારમૈયાએ બેંગ્લોરમાં તેમના ઘરે મંત્રીઓની બેઠકમાં કરી રાજીનામુ આપવાની જાહેરાત. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર મુખ્યમંત્રી બની શકે છે.
રાજ્યપાલ થાવરચંદ ગેહલોત પાસે રાજીનામુ સુપરત કરવા સમય માંગવામાં આવ્યો છે.
આ સાથે કર્ણાટક રાજ્યના મંત્રીમંડળમાં પણ સૂચિત ફેરફાર થવાની શક્યાતા છે જ્યાં ૧૫ થી ૨૦ નવા મંત્રીઓનો સમાવેશ થઇ શકે છે.
કર્ણાટકમાં હાલમાં કોંગ્રેસની સરકાર અસ્તિત્વમાં છે અને પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે મુખ્યમંત્રી કેમ બદલી રહી છે? કર્ણાટકમાં ૨.૫ વર્ષની મુખ્યમંત્રી ફોર્મ્યુલા અને બંન્ને ડીકે શિવકુમાર અને સિદ્ધારમૈયા વચ્ચે વિગ્રહ તથા સિદ્ધારમૈયા સરકાર વાલ્મિકી વિકાસ નિગમ કૌભાંડોમાં ફસાયેલી છે.
જાણવા મળી રહ્યુ છે કે તેમના ૩૫ મંત્રીઓમાંથી ૨૦ મંત્રીઓ બદલાઇ શકે છે.