લોકાયુક્ત : ગુજરાતના નવા લોકાયુક્ત નિમાયા - ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ
તાજેતરમાં જ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ નિવૃત ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ ને લોકાયુક્ત તરીકે શપથ લેવડાવ્યા.

- ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવ હાઈકોર્ટ ના સિનિયર જજ તરીકે સેવા આપી ચૂક્યા છે.
- તેમની નિમણૂક ગુજરાત લોકાયુક્ત અધિનિયમ 1986 હેઠળ પાંચ વર્ષ માટે કરવામાં આવી છે.
લોકાયુક્તની ભૂમિકા
રાજ્યમાં તંત્ર સામેની ફરિયાદો, ભ્રષ્ટાચાર સબંધિત મુદ્દાઓ અને વહીવટી ગેરરીતિઓની તપાસ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે.